વડોદરામાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટને કારણે શુક્રવારની રાતે ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી નારેબાજી કરી હતી. તેના બાદ ટોળું જૂનીગઢી વિસ્તારમાં જઇ તોડફોડ કરવામાં લાગ્યું હતું, ટોળાએ પોલીસ કર્મચારીને પણ ફરજમાં રુકાવટ કરી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ મામલે સિટી પોલીસે પ્રેસમાં કામ કરતા શખ્સને ઝડપી લીધો હતો
કેટલાક લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા
સ્થાનિક માહિતી મુજબ, જૂનીગઢી વિસ્તારના એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકી હતી. પોસ્ટના પ્રસાર થવાથી પાણીગેટ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઇ હતી. ફરિયાદ કરવા માટે કેટલાક લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ધીમે ધીમે મોટી સંખ્યામાં ટોળું ભેગુ થયું.













