વડોદરામાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા એસટીપી પ્લાન્ટમાં જીપીસીબીના નવા નિયમોનું પાલન થાય છે કે કેમ તેની જીપીસીબી તથા માનવ અધિકાર આયોગે બનાવેલી કમિટીએ આજે નિરિક્ષણ કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે જીપીસીબીના નિયમો બદલાતા હાલ ગાજરાવાડી પ્લાન્ટ ખાતે પાણીના બીઓડી લેવલમાં તફાવત જોવા મળ્યો હતો.
ગાજરાવાડી એસટીપી પ્લાન્ટ ખાતે કમિટીએ મુલાકાત લીધી
વડોદરામાં હાલ 13 જેટલા એસટીપી પ્લાન્ટ છે જ્યાંથી પાણી શુદ્ધિકરણ કરીને છોડાય છે અને તેમાં એક કે બે એસટીપી પ્લાન્ટમાં જીપીસીબીના જુના નિયમો મુજબ પાણી ટ્રીટમેન્ટ કરાય છે જેથી આજે ગાજરાવાડી એસટીપી પ્લાન્ટ ખાતે આ કમિટીએ મુલાકાત લીધી હતી અને પાણીના શુદ્ધિકરણના બીઓડી લેવલની ચકાસણી કરી હતી. પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા.













