વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈનમાંથી ઊભરાતા ગંદા અને દુર્ગંધવાળા પાણીના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. વાહનવ્યવહાર અને ટ્રાફિક ધમધમતા આ વિસ્તારમાં ગ્રાહકો દુકાન સુધી પહોંચતા નથી, પરિણામે વેપારીઓને નાણાકીય નુકસાન પણ થઈ રહ્યું છે.


કોર્પોરેશનની ટીમ માત્ર પંપથી પાણી પ્રેસર કરીને જતી રહે છે

સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં, તંત્ર દ્વારા મોકલાયેલી ટીમ માત્ર પંપથી પાણી પ્રેસર કરીને જતી રહે છે. યોગ્ય રીતે સફાઈ ન થવાને કારણે સમસ્યા યથાવત્ રહે છે.

ગંદા અને દુર્ગંધવાળા પાણી હવે સોસાયટીમાં પણ ઘૂસી ગયા છે

ગંદા અને દુર્ગંધવાળા પાણી હવે સોસાયટીમાં પણ ઘૂસી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આવન-જાવન મુશ્કેલ થઈ ગયું છે અને બાળકો, વૃદ્ધ સહિત લોકોમાં બીમારી ફેલાવવાનો ભય વધ્યો છે.

સ્થાનિક નાગરિકો અને દુકાનદારોની માગ

 સ્થાનિક નાગરિકો અને દુકાનદારો માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર ડ્રેનેજ લાઈનની સંપૂર્ણ અને યોગ્ય રીતે સફાઈ તાત્કાલિક કરે, જેથી ગંદા પાણીની સમસ્યા હલ થઈ શકે અને સામાન્ય જનજીવન અસર વિના પુનઃચાલુ થઈ શકે.


આ પણ વાંચો---   Gujarat Flashback 2025 : ગુજરાતમાં નવેમ્બર 2025 સુધીમાં 1.86 કરોડથી વધુ કોલ 108 એમ્બ્યુલન્સ સેવાએ એટેન્ડ કર્યા

  • Follow us on: