વડોદરાના કાળુપુરા વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા એક આધેડ વયના વ્યક્તિએ પારિવારિક વિવાદ અને જિંદગીની મુશ્કેલીઓથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક આધેડ છેલ્લા કેટલાક સમયથી પત્ની સાથેના અણબનાવ અને સતત થતા ઝઘડાઓને કારણે ભારે માનસિક તણાવ અને હતાશામાં જીવી રહ્યા હતા.
હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું.
મળતી માહિતી અનુસાર, આપઘાત કરતા પહેલા આધેડે પોતાની વ્હાલસોયી પુત્રી સમક્ષ પોતાનું દુઃખ ઠાલવ્યું હતું. તેમણે પુત્રીને ગમગીન સાદે કહ્યું હતું કે, "હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું."













