ચોમાસાની શરૂઆત પહેલા જ વડોદરા વાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની જીવાદોરી સમાન ગણાતા ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી ગયો છે. સરોવરનું પાણી ખુટી જતાં હવે વડોદરા મહાનગરપાલિકા એ આખા શહેરની તરસ છિપાવવા માટે એક મોટો અને કરોડો રૂપિયાનો આકસ્મિક નિર્ણય લેવાની ફરજ પડી છે. શહેરમાં પાણીનો પોકાર ન પડે તે માટે પાલિકા તંત્ર હવે નર્મદા નિગમ શરણ પહોંચ્યું છે.
જળસપાટી ગત વર્ષની સરખામણીએ આશરે 1 ફૂટ જેટલી ઓછી
મળતી માહિતી મુજબ, આજવા સરોવરની વર્તમાન જળસપાટી ગત વર્ષની સરખામણીએ આશરે 1 ફૂટ જેટલી ઓછી નોંધાઈ છે. ઉનાળાની આકરી ગરમીમાં પાણીનો વપરાશ વધવાને કારણે અને ઉપરવાસમાંથી પાણીની આવક ન થતાં આ સ્થિતિ સર્જાઈ છે.













