મહાશિવરાત્રીના પાવન પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરાની મુલાકાતે રહ્યા હતા. ઐતિહાસિક સુરસાગર તળાવના મધ્યમાં બિરાજમાન સર્વેશ્વર મહાદેવની ભવ્ય મહાઆરતીમાં તેઓ સહભાગી થયા હતા. સોનાથી મઢેલી વિરાટ શિવ પ્રતિમાના દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી હતી અને તમામ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.
સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની આરતી
પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું કે, "આજે આ મનોરમ્ય પ્રતિમા નિહાળી હું ધન્ય થયો છું. સાવલીવાળા સ્વામીએ જે સંકલ્પ કર્યો હતો, તે આજે તમામ ભક્તો અને સંતોના સહયોગથી પૂર્ણ થયો છે." આ વિરાટ પ્રતિમા વડોદરાની આધ્યાત્મિક ઓળખમાં વધારો કરે છે તેમ તેમણે ઉમેર્યું હતું.













