વડોદરાના ખિસકોલી સર્કલ પાસે રસ્તા પર કોર્પોરેશનની ગંભીર બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા છે. શહેરમાં રહેતા લોકો માટે મોતના કુવા સમાન ખતરનાક ગટર ખુલ્લી જોવા મળી છે. ઢાંકણાં ખુલ્લા હોવા છતા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


ગટર ખુલ્લા હોવાને કારણે અકસ્માતના ગંભીર જોખમો

સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણકે ગટર ખુલ્લી હોવાને કારણે અકસ્માતના ગંભીર જોખમો રહે છે.

ગટરમાં પડી જવાથી આશાસ્પદ યુવકનું મોત પણ થયું હતું.

તાજેતરમાં માંજલપુરમાં આવી જ ખતરનાક ગટરમાં પડી જવાથી આશાસ્પદ યુવકનું મોત પણ થયું હતું. ખિસકોલી સર્કલ ઉપરાંત શહેરમાં ઘણા વિસ્તારોમાં ગટરો ખુલ્લી હોવાનું જોવા મળી રહ્યું છે.

ગટરને બંધ કરવાની માગ

સ્થાનિકોએ તંત્ર સમક્ષ આવી ખતરનાર ગટરોને ઢાંકણાથી બંધ કરવાની માગ કરી છે.

આ પણ વાંચો-----  PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાજલી APMC ખાતે મહત્વપૂર્ણ બેઠક

  • Follow us on: