વડોદરામાં નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટથી આજવા તરફ નવી પાણી લાઇન બેસાડવાની કામગીરી દરમિયાન પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 3 દિવસ પાણી કાપ રહેશે. પાલિકા દ્વારા જણાવ્યું છે કે 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન 6 ટાંકી અને 7 બુસ્ટરને પાણી પૂરતું નહિ મળે, જેના કારણે અંદાજે 5 લાખ લોકોને પાણીની તકલીફ થશે.


લાઇનને આજવાના મેનિફોલ્ડ સાથે જોડવા માટે કામગીરી

પાણી પુરવઠામાં આ અડચણ નિમેટા પ્લાન્ટ-2માં લાઇનને આજવાના મેનિફોલ્ડ સાથે જોડવા માટે કામગીરી ચાલતી હોવાથી પાણીની સમસ્યા સર્જાશે. નવી લાઇન 750 મિમી ડાયામેટર થી 1524 મિમી લાઇનમાં અપગ્રેડ થઈ ચૂકી છે. કામગીરી પૂર્ણ થયા પછી દરેક ટાંકી દીઠ 2 એમએલડી પાણીની ક્ષમતા વધશે.

પૂર્વ અને દક્ષિણમાં તકલીફ

પ્રભાવિત વિસ્તારોમાં પૂર્વ વિસ્તારની તમામ ટાંકીઓ પર તથા દક્ષિણ વિસ્તારમાં સંખેડા દશાલાડ, મહેશનગર, સોમા તળાવ, દંતેશ્વર, મહાનગર અને નંદધામ બુસ્ટરમાં તકલીફ પડશે

 40 ટેન્કર ઉપલબ્ધ

પાણીની આ તકલીફ દરમિયાન પાલિકા પાસે માત્ર 40 ટેન્કર ઉપલબ્ધ છે, જે પૂરતી સેવા આપવા માટે ઓછા રહેશે. ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવા માટે ઉત્તર ઝોનની ટાંકીનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે ઉત્તર ઝોનની ટાંકીઓમાં પણ પાણી ઘટવાની શક્યતા છે.

આ પણ વાંચો----  Gujarat Latest News Live : કલોલના પૂર્વ વિસ્તારમાં ઔડા દ્વારા મેગા ડિમોલિશન,કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું

  • Follow us on: