વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય ભાવનાબેન પટેલ પોતાના પરિવાર સાથે અયોધ્યાના પ્રવાસે જવાના હતા. આ યાત્રા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા અને મુસાફરી માટે જરૂરી નાસ્તો અને અન્ય વસ્તુઓની ખરીદી કરવા માટે વલસાડ શહેરના મધ્યમાં આવેલી એક જાણીતી ફરસાણની દુકાને પહોંચ્યા હતા.


ખરીદી કરતી વખતે જ ઢળી પડ્યા

દુકાનમાં જ્યારે તેઓ ચીજવસ્તુઓની પસંદગી કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી દુકાનમાં હાજર લોકો અને પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ભાવનાબેન સેકન્ડોમાં જ ફસડાઈ પડ્યા હતા.

હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યા

પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ગંભીર હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. અયોધ્યા જવાની ખુશી શોકમાં ફેરવાઈ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: