બનાસકાંઠામાં વાવ થરાદના ઓગડ ખાતે ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું છે. જેમાં 16 મુદ્દાના બંધારણની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાંસદ ગેની બહેન સહિતના આગેવાનો જોડાયા હતાં. આ સંમેલનમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે નિવેદન આપતાં કહ્યું હતું કે, હું કાયમ કહેતો કે જય એટલે વિજય. આજનો દિવસ આપણી કસોટીનો દિવસ છે. સિંહના દાંત ગણવા વાળા આપણે ઠાકોર સમાજ છીએ. હું ગામડામાં ગયો તો કહેવાયું કે તમે આગેવાનો બંધારણ પાળજો. એટલે તમે દેખાડામાં ના પડતા બંધારણ પાળજો નહીં તો સદારામ બાપા છે.


હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે

આ મહા સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાન કેશાજી ઠાકોરે કહ્યું હતુ કે, લાભ પાંચમે વાત મુકી હતી આજે નવા બંધારણનું વિમોચન થયું છે. ગાંધીજીએ જે રીતે સંકલ્પ કર્યો હતો તે જ રીતે આપણે સંકલ્પબદ્ધ બનવાનું છે. આ સમાજના શક્તિશાળી બનાવવાનો છે. કોઈનો ઓશિયાળો ના બને તેવો શક્તિશાળી સમાજ બનાવવાનો છે. જ્યારે અમૃતજી ઠાકોરે કહ્યું હતું કે, આજે ઈતિહાસના પાના લખાશે. બંધારણ માટે સામે બેઠા એ તો રેડી છે. સમાજના 14 મુદ્દાના બંધારણનો અમલ આજથી જ નક્કી કરો. હું મારા ઘરેથી પાલન કરીશ પછી પાડોશીને કહેવા જઈશ. હવે શિક્ષણનો પ્યાલો પીવાની જરૂર છે.

બંધારણનો ભંગ કરનાર સમાજનો દેશદ્રોહી ગણાશે

આ મહા સંમેલનમાં કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યુ હતું કે, બંધારણનો ભંગ કરનાર સમાજનો દેશદ્રોહી ગણાશે. બે લાખ લોકોની સહમતીથી આ બંધારણ બન્યું છે. સમાજની દીકરી હોવાના નાતે ગંભીરતાથી વાત કરુ છું. વ્યસન મુક્તિ માટે સાધુ સંતો આગળ આવે. સમાજમા નાની ઉંમરે દીકરીઓ વિધવા થઈ રહી છે. હું ખોળો પાથરીને ભીખ માગુ છું સમાજમાંતી બદીઓ ભાંગો.

સદારામધામ માટે હું 1 વીઘા જમીન આપીશ

મારી સમાજ પાસે માંગણી છે સદરામધામ બનવું જોઈએ. સદારામના નામે આપણો સમાજ ભેગો થવો જોઈએ. માથાદીઠ રૂ.100 રૂપિયા આપે તો કરોડો રૂપિયા આવે.સદારામધામ માટે હું 1 વીઘા જમીન આપીશ. નવું બંધારણ ઠાકોર સમાજને મદદરૂપ થશે. નવા નિયમોથી સમાજના ખર્ચા ઘટશે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી.પ્રેમલગ્નના નામે વર્ગવિગ્રહ રોકવો જરૂરી છે. 1998માં ભાવસીંગજીની અધ્યક્ષતામાં બંધારણ કર્યું હતું. લાભ પાંચમે સ્નેહ મિલનમાં નવા બંધારણ માટેની ચર્ચા કરાઈ હતી.


આ પણ વાંચોઃ Junagadh News: વાડીમાં રમતા બાળકને સિંહણે ફાડી ખાધો


  • Follow us on: