ગીર સોમનાથના વેરાવળમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં પાંચ લોકો દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે. ભીડિયા વિસ્તારના રહેણાંક મકાનમાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ભીડ ભંજન મંદિર નજીક રાત્રે આઠ વાગે ઘટના બની હતી. રસોઈ બનાવતી વખતે અચાનક બ્લાસ્ટ થયો હતો. દાઝેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
ગીર સોમનાથના વેરાવળમાં ભીડીયા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. રસોઈ બનાવતી વખતે 7 કિલોના ગેસ બાટલામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ મકાનમાં આગ ભભૂકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં કૂલ પાંચ લોકો દાઝી ગયા હતાં. 4 લોકોને સામાન્ય ઈજા સાથે સારવાર હેઠળ ખસેડાયા હતાં. જ્યારે ગંભીર રીતે દાઝેલો રાકેશ મેઘજીભાઈ પાંજરીને રાજકોટ રીફર કરાયા છે.













