ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયાં છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે. નદીમાં પાણીની આવક વધતાં સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વેમાં પાણી ઘૂસી ગયા હતાં. પાણીની સતત વધી રહેલી આવકને કારણે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. બીજી તરફ બાકરોલ પાસે રેલવે ઓવરબ્રિજનું કામ કરતાં 27 શ્રમિકો સાબરમતી નદીમાં ફસાયા હતાં.
ફાયરની ટીમ બોટ સાથે બચાવ કામગીરી માટે પહોંચી ગઈ













