ભરૂચના વાલીયા પંથકમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે. રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા છે. પાણીના પ્રવાહમાં વાહનો ફસાયા છે. જેના બહાર કાઢવા મુશ્કેલ સાબિત થઇ રહ્યા છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે. જેના જોતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. નાળાની કામગીરીના પગલે અપાયેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે.


ભરુચ પંથક પાણી-પાણી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ખેતરોમાં કમર સુધીના પાણી ભરાતા જળાશયો જેવી સ્થિતિ ઉભી થઇ છે. પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોની દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. રહેણાંક વિસ્તાર અને બજારોમાં પાણી ફરી વળ્યુ છે. ધસમસતા પાણી વચ્ચેથી પસાર થતા કાર ફસાઈ છે. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. પાણીના પ્રવાહને જોતા સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે.

રાજ્યમાં વરસાદી કહેર

રાજ્યના વિવિધ શહેરો બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. લોકોના ઘરો તબાહ થયા છે. તો ખેતરોમાં પાણી ભરાયા છે. જેને કારણે પાક ડૂબ્યો છે. પાણીનો પ્રવાહ વધતા રસ્તા પર નદી જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. વરસાદી પાણી ભરાતા એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ થયો છે. નદીઓમાં નવા નીર આવતા નદીઓ અને જળાશયો છલકાયા છે.


  • Follow us on: