ભાવનગરમાં ભારે વરસાદથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ, જર્જરિત મકાનમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે ભારે વરસાદના કારણે જૂનામ મકાનો પોકળ થઇ રહ્યા છે. અને તૂટી પડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. આવો એક બનાવ આનંદનગરમાં બન્યો છે. જેમાં એક મકાન ધરાશાયી થયુ છે. મકાન તૂટવાની ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ. પરંતુ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
મકાન ધરાશાયી થતા લોકોમાં ભય













