ભુજમાં પડેલા ભારે વરસાદના કારણે ભુજનું ઐતિહાસીક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. સતત ચોથા વર્ષે હમીરસર તળાવ છલકાયું છે જેથી ભુજવાસીઓમાં હર્ષની લાગણી ફરી વળી છે. ઓવરફ્લો થયેલા તળાવને જોવા માટે મોટી સંખ્યામાં લોકો તળાવ ખાતે ઉમટી પડ્યા હતા.


સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા

ભુજનું હમીરસર તળાવ જ્યારે પણ ઓવરફ્લો થાય છે ત્યારે સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા જાહેર થાય છે અને આજે જ્યારે હમીરસર તળાવ ઓવરફ્લો થતાં આવતીકાલે સરકારી કચેરીઓમાં રજા રહેશે. ગુજરાત એક માત્ર એવું તળાવ છે જે ઓવરફ્લો થતા સરકારી કચેરીમાં જાહેર રજા રાખવામાં આવે છે.

શાસ્ત્રોક્ત વિધિથી નગરપાલિકાના પ્રમુખના હસ્તે તળાવના વધામણાં

આવતીકાલે શાસ્ત્રોક્ત વિધિથી નગરપાલિકાના પ્રમુખના હસ્તે તળાવના વધામણાં કરાશે. ભુજવાસીઓમાં હરખની હેલી જોવા મળી રહી છે.

ઐતિહાસીક તળાવ 28 એકરમાં ફેલાયેલું છે

આ ઐતિહાસીક તળાવ 28 એકરમાં ફેલાયેલું છે અને ભુજના શહેરીજનોની તૃષા છીપાવે છે. તળાવ અંદાજે 450 વર્ષ જુનુ છે અને ભુજના સ્થાપક જાડેજા શાસક રાવ હમીર પરથી તળાવનું નામ રખાયું છે. તળાવનું બાંધકામ રાવ ખેંગારજી પ્રથમના શાસનમાં કરવામાં આવ્યું હતું અને તેમણે તેમના પિતા હમીરજીના નામ પરથી તળાવનું નામ રાખ્યું હતું. તળાવના કાંઠાનું બાંધકામ પ્રાગમલજી દ્વીતીય અને વધારે બાંધકામ ખેંગારજી તૃતીયના સમયમાં જયરામ રુડા ગજધરના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.

 

  • Follow us on: