હાલ રાજ્યમાં વરસાદનો માહોલ છે. જેને કારણે મોટાભાગના પંથક પાણી-પાણી થયા છે. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. અને જન-જીવન ખોરવાયુ છે. આ કારણે અંતરિયાળ ગામડાંઓ સંપર્ક વિહોણા થયા છે. હવે આ ગામડાંઓમાં તંત્રની મદદ પહોંચવી મુશ્કેલ સાબિત થઇ રહી છે. તંત્રની બેદરકારી અને સરકારના વચનો પોકળ સાબિત થયા છે. ગામડાંઓમાં વિકાસના નામે માત્ર દાવાઓ કર્યા હોવાનું સામે આવ્યુ છે.
રહીશોની હાલત કફોડી













