યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદ અને પવન લઈને ભગવાન દ્વારકાધીશના શિખર પરની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી છે. બે દિવસથી દ્વારકામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ભારે વરસાદથી નદી-નાળા ઓવરફ્લો થયા છે. તેમજ અનેક ગામમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
દ્વારકા મંદિરની ધ્વજા અડધી કાઠીએ ચઢાવવામાં આવી













