જામનગરના લાલપુરના સેવક ધુળીયામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. ખેતરમાં કામ કરતા ચાર મજૂરો પર વીજળી પડી હતી. જેમાં બે ભાઈના મોત થયા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈ છે.


લાલપુરમાં ચાર લોકો પર વીજળી પડી 

લાલપુર તાલુકાના સેવક ધુળીયા ગામે આજે બપોરે આશરે 2:30 કલાકે ખેતરમાં કામ કરી રહેલા લોકો પર પડતા બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક ભાઈઓ મહેતાબ દાવડ અને ગોપાલ દાવડ મૂળ મધ્યપ્રદેશના નાંગલવાડી ગામના રહેવાસી છે. એમના સાથીદારો ભુરસીંગ વાસકલે અને કરણ દાવડ ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સેવક ધુળીયા ગામે બે લોકોના મોત

સેવક ધુળીયા ગામે ચાર લોકો ખેતીકામ માટે અહીં આવ્યા હતા. આ દુર્ઘટનાથી ગામમાં શોકનું માહોલ છવાયો છે. મૃતક ભાઈઓ મહેતાબ દાવડ અને ગોપાલ દાવડ મૂળ મધ્યપ્રદેશના નાંગલવાડી ગામના રહેવાસી છે. એમના સાથીદારો ભુરસીંગ વાસકલે અને કરણ દાવડ ઈજાગ્રસ્ત થયા છે, તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરાઈ છે.


  • Follow us on: