નડિયાદમાં 3 ઈંચ વરસાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા છે. માઈ મંદિર, શ્રેયસ, ખોડીયાર ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. 3 ગરનાળા ભરાવાથી પૂર્વ-પશ્ચિમ અવરજવર બંધ કરવામાં આવી છે. પીજ ભાગોળ હનુમાનજી મંદિર વિસ્તાર, દેસાઈ વગામા હોસ્પિટલ રોડ પાણીમાં ગરકાવ થયો છે. હાસ્પિટલ આવતા દર્દીઓ, સગાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


નડિયાદમાં ધોધમાર 3 ઈંચ વરસાદ

નડિયાદમાં સવારથી અત્યાર સુધીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળે પાણી ભરાયા છે. પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી વેઠવાન વારો આવ્યો છે . નડિયાદના માઈ મંદિર, શ્રેયસ અને ખોડીયાર ગરનાળા પાણીથી છલકાયા છે. નડિયાદના ત્રણ ગરનાળામાં પાણી ભરાતા નડિયાદ પૂર્વ અને પશ્ચિમ અવર જવરમાં લોકોને હાલાકી પડી રહી છે.

ત્રણ ગરનાળા પાણીમાં ગરકાવ

નડિયાદમાં પીજ ભાગોળ હનુમાનજી મંદિર વિસ્તારમાં પાણી ભરાતા રસ્તા બંધ થયા છે. નડિયાદ દેસાઈ વગામા હોસ્પિટલ રોડ પાણીમાં ગરકાવ થતા વાહનો પાણીમા ડૂબ્યા છે. હાસ્પિટલ આવતા દર્દીઓ, સગાઓ તેમજ કર્મચારીઓને હાલાકી ભોગવી રહ્યા છે.


  • Follow us on: