સુરતમાં તાપી નદીનું રૌદ્ર સ્વરુપ સામે આવ્યું છે. બે દિવસથી તાપી નદીમાં પાણી છોડાયું છે. પાણી સુરત શહેરના વોકવે પર ફરી વળ્યા છે. મનપાએ બનાવેલ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું છે. કૃત્રિમ તળાવમાં પાણી ભરાતા તળાવ બંધ કરાયું છે. ગણપતિ વિશર્જન માટે લોકોને બીજી જગ્યાએ બનાવેલા તળાવમાં જવા અપીલ કરવામાં આવી રહી છે.
તાપી નદીનું રૌદ્ર સ્વરુપ સામે આવ્યું













