સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે જેથી શિનોર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં પાણીનો જબરજસ્ત પ્રવાહ જોવા મળી રહ્યો છે. બુશા ઘાટના 25 પગથિયા પર નર્મદાના પાણી ફરી વળ્યા છે


 ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

ઉપરવાસમાં ભારે વરસાદ તથા નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે અને આજે બપોરે 12 વાગ્યા સુધીમાં નર્મદા ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું

ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે જેથી નર્મદા કાંઠે આવેલા જિલ્લાના તમામ ગામોના લોકોને સતર્ક રહેવા વહિવટીતંત્ર દ્વારા જણાવી દેવાયું છે. વડોદરાના શિનોર, ચાણોદ સહિતના ઘણા ગામો નર્મદા કિનારે આવેલા છે

 બુશા ઘાટ પર નદીના પાણી ફરી વળ્યા

નર્મદા નદીમાં પ્રચંડ પાણીનો પ્રચંડ પ્રવાહ ફરી વળ્યો છે જેના કારણે શિનોરના બુશા ઘાટ પર નદીના પાણી ફરી વળ્યા છે. બુશા ઘાટના 25 પગથિયા પાણીમાં ગરકાવ છે. શિનોર તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા છે.


  • Follow us on: