મહારાષ્ટના પનવેલ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ગુજરાતના એક વ્યક્તિનું મોત થયું છે. લાલબાગચા રાજાના દર્શનાર્થે મુંબઈ જતાં રસ્તામાં કાર આઈશર ટેમ્પામાં ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાઘોડિયા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ કેતુલ ભાઈ હિતેશ ભાઈ પટેલનું મોત થયું છે. કારમાં સવાર અન્ય 6 લોકોને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
વાઘોડિયા તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખનો અકસ્માત













