માળિયા-મચ્છુ નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બ્રિજ બંધ થવાથી પોરબંદર, દ્વારકા, જામનગર, રાધનપુર અને કચ્છ જેવા વિસ્તારોને જોડતા માર્ગ પર 50 કિલોમીટરનો વધારાનો ફેરો પડે છે.


લોકો જીવના જોખમે શોર્ટકટ લઇ રહ્યા છે

ભારે વાહનો જેવા કે, ખાનગી લક્ઝરી બસ અને ટ્રકો પણ મચ્છુ નદીના બેઠા પુલ પરથી જોખમે પસાર થઇ રહ્યા છે. આ પુલ પરથી ભારે વાહનોનું પસાર થવું અત્યંત જોખમી છે અને જો કોઈ વાહન બેઠા પુલ નીચે પટકાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

તંત્ર દ્વાર તાત્કાલિક પગલાં લેવા જોઈએ

આ પરિસ્થિતિમાં, વાહનચાલકો અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. તંત્ર દ્વારા ઝડપથી બ્રિજનું સમારકામ કરવામાં આવે અથવા ભારે વાહનો માટે કોઈ વૈકલ્પિક સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી છે. લોકો જીવના જોખમે શોર્ટકટ્સ અપનાવવા ન પડે અને કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.


  • Follow us on: