મોરબીની તક્ષશિલા સ્કૂલમાં મારામારી બનાવ મામલે સ્કૂલ સંચાલકોનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે. ઈકોનોમિક્સની ટેસ્ટમાં વિદ્યાર્થી ગેરહાજર હતો. ગેરહાજર રહેવાનુ કારણ પૂછતાં વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો. વિદ્યાર્થી દ્વારા ગેરવર્તન કરાતા માર માર્યો હતો. બાદમાં વિદ્યાર્થી દ્વારા શિક્ષક પર હુમલો કરાયો હતો. આ બનાવ 17 જુલાઇના રોજ બન્યો હતો. બાદમાં વાલી વિદ્યાર્થીનું સર્ટી પણ લઈ ગયા છે.
તક્ષશિલા સ્કૂલમાં મારામારીનો બનાવ













