સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. મધ્યપ્રદેશમાં વરસાદ થતા સરદાર સરોવરમાં પાણીની આવક થઈ છે. મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં સારા વરસાદના પગલે પાણી છોડાતા સરદાર સરોવર ડેમાની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાંથી 55,142 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની હાલની સપાટી 119.75 મીટર છે. મેઈન કેનાલમાં 17,000 ક્યુસેક પાણી છોડાયુ છે.
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક













