નવસારીના જલાલપોરમાં કરંટ લાગતા 2 લોકોના મોત થયાની કરૂણ ઘટના સામે આવી છે. ગણપતિના આગમન વખતે વીજ તારને અડ્યા હતા. કરાડી મટવાડ ગામે 7 લોકોને વીજ તાર ઊંચો કરવા જતા વીજ કરંટ લાગ્યો હતો. લોખંડનો પાઇપ વીજ તારને અડી જતા કરંટ લાગ્યો હોવાની પ્રથમિક મહિતી મળી છે. આ ઘટનામાં 7 વ્યક્તિને વીજ કરંટ લાગતા 2ના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય પાંચ લોકોને સામાન્ય કરંટ લાગતા સારવારમાટે હોસ્પિટલ ખસેડાયા છે.
કરાડી મટવાડ ગામે 7 લોકોને વીજ કરંટ લાગ્યો













