સુરત બાદ નવસારીમાં પણ આવકવેરા વિભાગ દ્વારા દરોડા અભિયાન હાથ ધરાયું. વારી સોલાર કંપની ITના સાણસામાં. હાલમાં આવકવેરા વિભાગ દ્વારા વારી સોલાર કંપનીના નવસારી એકમોમાં દરોડા હાથ ધરી ચકાસણી કરવામાં આવી. કંપની ઉપર મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલી. ITના દરોડાના મેગા સર્ચ ઓપરેશનમાં મુંબઈની 30 ટીમો જોડાઈ.


સુરત,વાપી અને વલસાડમાં પણ દરોડા 

વારી કંપની સામે હાથ ધરાયેલા દરોડામાં નવસારી બાદ સુરત,વાપી અને વલસાડમાં પણ દરોડા પાડવામાં આવ્યા. નવસારીના ચીખલી નજીક આવેલ વારી સોલારના એકમ ઉપર મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. વારી કંપની સામે મુંબઈ આયકર વિભાગની 30 જેટલી ટીમોએ મોટાપાયે સર્ચ ઓપરેશનમાં જોડાઈ. વારી સોલારના સંચાલકોની મોટાપાયે નાંણાકીય વ્યવહારમાં ગેરરીતિ સામે આવે તેવી સંભાવના છે. વારી સોલારના સંચાલક દોશી પરિવાર દ્વારા નવસારી અને વલસાડ જિલ્લામાં મોટાપાયે જમીન ની ખરીદી કરાઇ હોવાની માહિતી.

કંપની દ્વારા જમીનની મોટાપાયે ખરીદી

નવસારી અને વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે 48ને અડીને 400 વીધા જમીનની ખરીદી કરાઇ હોવાની સૂત્રો દ્વારા વિભાગને માહિતી મળી. વલસાડ જિલ્લા નારોલા,પંચલાઇ, સોનવાડા ગામોમાં મોટાપાયે વારી સોલાર દ્વારા જમીન ખરીદાઈ. નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે જમીનની ખરીદી.

કાળા નાણાં અંગે થઈ શકે છે મોટો ખુલાસો

વારી સોલાર માટે જમીનની ખરીદી માં જોડાયેલા વલસાડ જિલ્લાના કેટલાક બિલ્ડરોને ત્યાં થોડા સમય અગાઉ આયકર વિભાગે પાડ્યા હતા દરોડા. વારી સોલાર કંપનીમાં એજ બિલ્ડરોને સંલગ્ન દરોડા પાડવામાં આવ્યા હોવાની પ્રબળ સંભાવના. જમીની ખરીદીમાં વારી સોલાર દ્વારા મોટાપાયે નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો સૂત્રો દ્વારા દાવો કરાયો. આયકર વિભાગની તપાસમાં વારી સોલારના કાળા નાણાં અંગે થઈ શકે છે મોટો ખુલાસો.

  • Follow us on: