નવસારી જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે કાવેરી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીમાં ઉપરવાસથી સતત પાણીની આવક થતા તે બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે ચોમાસાનો એક આહ્લાદક નજારો જોવા મળ્યો છે. નદીમાં પાણીની આવક વધતા નવસારીના લોકોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ પાણી ખેતી અને પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે અત્યંત મહત્વનું છે.
તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ













