ભાવનગરમાં આજે મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં રવિવાર અને સોમવારે થયેલા વરસાદમાં ચારેતરફ પાણી પાણી થઈ ગયું છે. શહેરમાં ગૌરી શંકર સરોવર છલોછલ ભરાઈ ગયું છે. આ ઉપરાંત શેત્રુંજી ડેમમાં પણ પાણની અધધ આવક થતાં ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
નદીના પાણી ઘૂસી જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા













