પાટણ જિલ્લાના શિહોરી હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા વાહનો પર પથ્થર મારવાની ઘટના બની છે. સરસ્વતી તાલુકાના નાયતા ગામની નજીક થયેલી આ ઘટનામાં GSRTC ની ત્રણ બસો અને 5 ડંપરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા
શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો
પાટણ જિલ્લાના શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો હતો અને હાઇવે પર પસાર થઇ રહેલા વાહનો પર પત્થરમારો કરતા વાહન ચાલકોમાં ડર ફેલાઇ ગયો હતો. પથ્થરમારાના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા













