ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત પ્રવાસે છે. તેમણે સુરતમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, મેટ્રો અને બુલેટ ટ્રેનથી સુરતની કાયાપલટ થશે. ટૂંક સમયમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ શરૂ થશે. સરકારે વાહન ચાલકોની 20 સેકન્ડ બચાવવા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.
અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, મેટ્રો, બુલેટ ટ્રેનથી સુરતની કાયાપલટ થશે. ટૂંક સમયમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ શરૂ થશે.વાહનચાલકોની 20 સેકન્ડ બચાવવા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી હતી. કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે.ગામડાઓમાં જમીનો પચાવી પાડનારાઓ સાવધાન થઈ જજો. ધાર્મિક સ્થળો પર અતિક્રમણ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે. અસામાજિક તત્વો સાથે મિલીભગત રાખનાર પોલીસકર્મી સસ્પેન્ડ થશે.












