રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આ વખતે જાણીતા લોકગાયિકા મીરાબેન આહિરને હોસ્પિટલ સ્ટાફના કડવા અનુભવનો ભોગ બનવું પડ્યું છે. જેને પગલે તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.


45 મિનિટ સુધી સિવિલમા રહ્યા પણ કોઇએ કેસ ન લીધો

મળતી જાણકારી અનુસાર, મીરાબેન આહિર પોતાના ભાઈની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ગયા હતા. જોકે, તેના 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી તેમ છતાં તેમનો કેસ દાખલ કરવામાં આવ્યો નહતો. મીરાબેનનો આક્ષેપ છે કે, જ્યારે તેમણે આ અંગે પૂછપરછ કરી ત્યારે હોસ્પિટલના સ્ટાફે તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને કહ્યું કે, "કેસ દાખલ નહીં કરીએ થાય તે કરી લે."

ડોક્ટર અને સ્ટાફે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

મીરાબેને સિવિલ હોસ્પિટલના સ્ટાફ પર ડોક્ટર અને સ્ટાફ દ્વારા અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના કારણે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકોમાં સિવિલ હોસ્પિટલની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.


  • Follow us on: