રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસને આજે મંજૂરી મળી છે. 29 જુલાઈ 2025ના રોજ રાજકોટ એરપોર્ટને આ મંજૂરી મળતા વેપારીઓ વિદેશમાં તેમનો માલ સામાન મોકલી શકશે. વેપારીઓ અને ઉદ્યોગકારોને હવે અમદાવાદ સુધી લાંબા નહીં થવુ પડે. વર્ષ 2023માં વડાપ્રધાન મોદીએ રાજકોટના હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ કાર્ગો સર્વિસ શરૂ કરવા આજે મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટથી જ વિદેશમાં માલ સામાન મોકલી શકાશે













