વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરમાં યોજવામાં આવી છે. રાજકોટના મવડી ચોક ખાતે ધર્મ સભા યોજાયા બાદ જન્મોત્સવની શોભાયાત્રાનું પ્રસ્થાન સંતો મહંતો કરાવ્યું હતું. જન્માષ્ટમીની શોભાયાત્રા મવડી ચોકથી નીકળી રાજમાર્ગો ઉપર પસાર થશે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ થી લઈને ઓપરેશન સિંદૂરને લઈને વિવિધ પ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે.


જન્માષ્ટમી મહોત્સવ શોભાયાત્રા

જન્મોત્સવની શોભાયાત્રાને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રા નિહાળવા રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરમાં યોજવામાં આવી છે. આ શોભાયાત્રા મોટી સખ્યામાં લોકો જાડાયા હતા. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી 

જન્માષ્ટમી નિમિતે આજે લોકો કૃષ્ણ મય બની ગયા છે. દેવાલયોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ શહેરોમાં જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આજે દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તેમજ લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. ડાકોરમાં પણ ભારે ઉત્સાહ સાથે જન્માષ્ટમી મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે.


  • Follow us on: