રાજકોટમાં તા.25/05/2024એ થયેલી દુર્ઘટના 'TRP ગેમઝોન અગ્નિકાંડ' મામલે આજથી રાજકોટ કોર્ટમાં સુનાવણીનો દોર શરૂ થશે. કેસની સુનાવણીના પ્રથમ દિવસે તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવશે. મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને પણ કોર્ટમાં હાજર કરાશે. અગાઉ રાજકોટ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરે સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જ્યારે આજે ઈલેશ ખેરને જામીન પર મુક્ત કરવામાં આવશે. સાથેજ આજ રોજ તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપનામું ઘડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


મનસુખ સાગઠીયાએ અનેક પ્લાનમાં કર્યો હતો ભ્રષ્ટાચાર

અગ્નિકાંડના મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાએ કબૂલાત કરી હતી તે પ્રમાણે અગ્નિકાંડ બન્યો તે પહેલા ગેમઝોનના સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. આ ઉપરાંત પ્લાન પાસ કર્યા પહેલા પણ અનેક પ્લાનમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું કબુલ્યૂ હતું. આ સમગ્ર ઘટનાની તપાસ ઈડી અને એસઆઈપી ટીમ દ્વારા કરવામાં આવી હતી. વધુ તપાસ અંગે આજે રાજકોટ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

આરોપીઓનું આરોપનામું ઘડવાની કાર્યવાહી શરૂ

આ અગ્નિકાંડ કુલ 16 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 27 લોકો તેમજ તેમના પરિજનોને ન્યાય અપાવવા પોલીસ પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. જે મામલે આજથી રાજકોર્ટ કોર્ટમાં મુખ્ય આરોપી મનસુખ સાગઠીયા તેમજ તમામ આરોપીઓને સુનાવણી અર્થે ખસેડવામાં આવશે. સાથેજ આજે કોર્ટમાં તમામ આરોપીઓનું આરોપનામું ઘડવાની કાર્યવાહી હાથ ધરાશે. 

  • Follow us on: