રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે. વાયરલ ફિવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છો. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાનાં કેસમાં સતત વધી રહ્યાં છે.


જકોટ શહેરમાં ઋતુજન્ય રોગચાળો ફેલાયો

રાજકોટ શહેરમાં તાવ, શરદી, ઉધરસ,ઝાડાના 2000થી વધુ દર્દીઓ નોંધાયા છે. શરદી-ઉધરસના 703, તાવના 916 કેસ નોંધાયા છે. ઝાડા-ઉલટીના 342 કેસ નોંધાયા છે. ટાઇફોઇડનો 1, કમળાના 3 કેસ નોંધાયા છે. બેવડી ઋતુથી પાણીજન્ય બિમારીઓમાં વધારો થયો છે.

અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો 

રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ બાદ મચ્છરજન્ય રોગચાળો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકોને ઉકાળેલુ પાણી પીવા માટે તબિબોની સલાહ છે. સાથે જ બહારનો ખોરાક લેવાનું ટાળવા માટે સલાહ છે. મિશ્ર ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થયો છે. મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાની કામગીરી ચાલી રહી છે. 

  • Follow us on: