રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ફરાળી વાનગી બનાવનારા ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે ત્રાટકી હતી. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરમાં મોટા પ્રમાણમાં ફરાળી વાનગીઓનું વહેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને પેટીસનું ઉત્પાદન વધી થઈ રહ્યું છે. ધંધાર્થીઓ આ ફરાળી પેટીસ હોલસેલમાં બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતા હોવાની માહિતી આરોગ્ય વિભાગને મળી હતી. જેને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગની ટીમ સક્રિય છે.
આરોગ્ય વિભાગે ખાદ્યરદાર્થોના નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા













