ગુજરાતમા મોટા શહેરોમાં મહાનગર પાલિકા દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. લોકો શહેરમાં પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ ચલાવી હેલ્થને પણ અપડેટ રાખી શકે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટનું બાળ મરણ થયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખરીદાયેલી સાયકલો ભંગાર બની જતાં મહાનગર પાલિકાએ સસ્તા ભાવે વેચવા કાઢી છે.


રાજકોટમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટનું મરણ

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટની સાયકલો ભંગાર થઈ જતાં મહાનગર પાલિકાએ 140 સાયકલ 10 ટકા ભાવે વેચવા કાઢી છે. સાયકલોનું સમયસર મેન્ટેનેન્સ નહીં થતાં ભંગાર થઈ ગઈ હતી. આ ઉપરાંત મહાનગર પાલિકાએ ખરીદેલી 200 સાયકલો પૈકીની 40 સાયકલો રીપેર કરાવી હતી. લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને અને પ્રદૂષણ ઘટે તેમજ હેલ્થ પ્રત્યે પણ લોકો અપડેટ રહે તેવા હેતુથી સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.

સમયસર મેન્ટેનન્સ ન કરતા સાયકલ ભંગાર બની

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ પ્રોજેક્ટ માટે 200 સાયકલો ખરીદી હતી. તેમાંથી 40 સાયકલો રીપેર કરાવી હતી. બીજી તરફ સાયકલના સ્ટેન્ડની હાલત પણ ખરાબ થઈ જતાં ભંગાર થઈ ગયા હતાં. જેના કારણે સાયકલોનું મેન્ટેનેન્સ પણ અટકી ગયું હતું. મહાનગર પાલિકાએ બેદરકારી દાખવતા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો પણ મનપાની બેદરકારીને કારણે આ પ્રોજેક્ટથી વિમુખ થઈ ગયાં છે. જેથી સાયકલોનો ઉપયોગ થતો અટકી જતાં તે ભંગાર થઈ ગઈ છે. જેના કારણે મહાનગર પાલિકાએ 140 સાયકલો 10 ટકાના ભાવે વેચવા કાઢી છે.

  • Follow us on: