રાજકોટની સડકો પર પડેલા ખાડા પૂરવાની કામગીરી આખરે શરૂ કરી દેવામાં આવી છે. સીએમના આદેશ બાદ રાજકોટ મહાનગરપાલિકા જાગ્યું છે. ચોમાસા દરમિયાન ધોવાયેલા રસ્તા તેમજ રોડ પર પડેલા ખાડાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન રાજકોટના કુલ ત્રણ રસ્તાઓનું ધોવાણ થયુ હોવાની માહિતી સામે આવી હતી. આ રસ્તા બનાવનાર બે એજન્સીઓને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
તંત્ર દ્વારા બે એજન્સીઓને નોટિસ મોકલાઈ













