રાજકોટના કોઠારીયા ગામ નજીક આવેલા ધનલક્ષ્મી પેટ્રોલ પંપ પર એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં પેટ્રોલ પંપના સ્ટાફે પેટ્રોલ પંપની અંદર સિગારેટ પીવાની ના પાડતા બે અસામાજિક તત્વોએ તેના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પેટ્રોલ પંપ પર બે અજાણ્યા શખ્સો સિગારેટ પી રહ્યા હતા. આ સમયે પંપના સ્ટાફ અમનભાઈ ફિરોજભાઈ પઢીયારએ તેમને ત્યાં સિગારેટ ન પીવા માટે ટકોર કરી હતી.
પેટ્રોલ પંપમાં સિગારેટ પીવાનીના પાડતા અસામાજિક તત્વોનો હુમલો













