રાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. ગણેશોત્સવમાં પૂર્વમંત્રી અરવિંદ રૈયાણીને આમંત્રણ અપતા કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી. ભાજપ સંગઠનમાં રૈયાણી એક્ટિવ થતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પરંતુ રૈયાણીના વિરોધીઓ સંગઠનમાં સ્થાનિક સ્તરે કરાઈ રહેલ ગણેશ મહોત્સવની ઉજવણીથી દૂર રહ્યા.


રૈયાણી રી એન્ટ્રીથી ભાજપ વિવાદમાં

રાજકોટના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી રી એન્ટ્રીથી ફરી ભાજપ વિવાદના ચકડોળે ચઢયું છે. ગણેશોત્સવમાં ભાજપમાં બે ફાંટા જોવા મળ્યા એક રૈયાણી સમર્થક અને બીજા રૈયાણી વિરોધી. ભાજપ સંગઠનમાં રૈયાણી એક્ટિવ થતા સમર્થકોએ સો.મીડિયામાં પોસ્ટ કરી પોતાની ખુશી શેર કરી. સમર્થકોએ આ પોસ્ટમાં લખ્યું સંગઠન થી શક્તિ - શક્તિ થી સેવા " ના મંત્રને જીવંત રાખનારની સક્રિય રાજકારણમાં ફરી એન્ટ્રી. મહત્વનું છે કે મનપાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ પૂર્વે રૈયાણી ભાજપમાં સક્રિય થતા રાજકીય માહોલ ગરમાયો છે.

રૈયાણી એક્ટિવ થતા સમર્થકોમાં ખુશી

લાંબા સમયથી રૈયાણી ભાજપના રાજકારણથી દૂર હતા. પરંતુ ગણેશૌત્સવમાં ભાજપ તરફથી તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું. આ બતાવે છે કે રૈયાણી મનપાની ચૂંટણીમાં જરૂર કોઈ કમાલ કરશે. જ્યારે પરત ફરવાને લઈને રૈયાણીએ કારણ આપતા જણાવ્યું કે તેમણે પક્ષના આદેશને માન આપ્યું છે. પક્ષ સર્વોપરી છે અને પક્ષના આદેશને ટાળવો કોઈપણ કાર્યકર્તા કે નેતા માટે અશક્ય છે. રૈયાણી ફરી ભાજપમાં જોડાતા 50 ટકા નગરસેવકોની ટિકિટ ઉપર ખતરાના સંકેત હોવાની ચર્ચાએ જોર પકડયું છે. અને એટલે જ નગરસેવકોએ રૈયાણીથી અંતર રાખવા નગરસેવકોએ ગણેશોત્સવમાં આવવાનું ટાળ્યું. જો ભાજપનો આ વિખવાદ સપાટી પર આવતા હાઈકમાન્ડ દ્વારા ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરાઈ.

  • Follow us on: