દિલ્હીથી રાજકોટ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2537માં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.વિમાનમાં ટેક-ઓફ પહેલા જ એસી (AC) સિસ્ટમમાં ગંભીર ખામી સર્જાતા અંદરનું તાપમાન વધી ગયું હતું, જેને કારણે ગભરાયેલા પેસેન્જરોને તાત્કાલિક અસરથી વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા બાદ પેસેન્જરોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. 


મુસાફરોએ વહીવટીતંત્ર સામે હોબાળો મચાવ્યો

લાંબા સમય સુધી એરપોર્ટ પર અટવાઈ રહેલા મુસાફરોએ વહીવટીતંત્ર સામે હોબાળો મચાવ્યો હતો અને એરલાઈન્સના મેનેજમેન્ટ પાસે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.હાલમાં આ મામલે એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. 

નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી

વિમાનમાં ખામી સર્જાવા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને થતી અગવડતાને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થયા બાદ જ આગામી કાર્યવાહી કરવામાં આવશે અને મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Mehsanaના વિસનગરમાં દબાણ હટાવવાની કામગીરી મોટા વિવાદમાં: ખોટા સર્વે નંબર પર મકાનો તોડી પાડ્યાનો આક્ષેપ


  • Follow us on: