રાજકોટ શહેરમાં ચાલી રહેલા કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન એક અપ્રિય ઘટના બની હતી. ગોંડલ રોડ પર ચાલી રહેલી શોભાયાત્રામાં અચાનક બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ધાર્મિક માહોલમાં મારામારીની આ ઘટનાથી ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું અને થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. આ મારામારીની ઘટના બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે સમયસર પહોંચી મામલો થાળે પાડ્યો













