અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે, ત્યારે જેતપુર ખાતે 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું.


જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી એકતા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો.

આ એકતા યાત્રાનો શહેરના સરદાર ચોકથી પ્રારંભ થયો હતો અને અમરનગર રોડ સારણ પુલ ચાંપરાજપૂરથી બોરડી સમઢીયાળા પહોંચી હતી, આ એકતા યાત્રામાં 'સરદાર પટેલ એકતા રથ' પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પી હતી.

યાત્રાના પ્રારંભે સૌએ એકતાના શપથ લીધા હતા. 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અને 'રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ' જેવા સંદેશા આપતા બેનરો સાથે શાળા-કોલેજના છાત્રો, એન.સી.સી. કેડેટ્સ અને પોલીસ વિભાગના જવાનોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

એકતા યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં નગરપાલિકા આરોગ્ય શાખા જેતપુર મામલતદાર સહિતના મહાનુભાવો યુનિટી માર્ચમાં જોડાયા હતા.

  • Follow us on: