સુરત જિલ્લાના બારડોલીમાં એક નજીવી બાબતે કારચાલકની હત્યા થઈ હોવાનો કમકમાટીભર્યો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ધૂળીયા ચાર રસ્તા નજીક બે વાહનો વચ્ચે થયેલી નજીવી ટકોર બાદ બાઈકસવાર યુવકોએ કારચાલકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો. આ ઘટના ધૂળિયા ચાર રસ્તા પાસે બની હતી.
નજીવી ટકોર થતાં બાઇકસવાર યુવકો ઉશ્કેરાયા હતા













