સુરતના પૂણા વિસ્તારમાં આવેલી ખાડી નજીક એક કોમ્પલેક્ષ નમવાની ભીતિ સર્જાતા તંત્ર હરકતમાં આવ્યું છે. કોમ્પલેક્ષ જોખમી જણાતા તેને તાત્કાલિક પણે તે કોમ્પલેક્ષને ખાલી કરાવવામાં આવ્યું હતું. તાત્કાલિક પણે કોમ્પલેક્ષ ખાલી કરાવતા ત્યાં રહેતા દરેક પરિવારોનું સ્થાળાંતર કરાવવામાં આવ્યું હતુ. સ્થાળાંતર કરાયેલા પરિવારોને સુરક્ષિત રીતે હાલ એક કોમ્યુનિટી હોલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી હોવાનો આક્ષેપ

સમયસર તેઓનું સ્થાળાંતર કરાતા મોટી જાનહાની ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલાં આ વિસ્તારની ડ્રેનેજ લાઈન બેસી ગઈ હતી. ડ્રેનેજ લાઈન બેસી જતાં આશંકા થાય છે કે જમીનમાં પોલાણ સર્જાયું હશે. જે પોલાણના કારણે કોમ્પલેક્ષ ધીરે ધીરે નમી પડ્યું હતું. તદુપરાંત ત્યાંના રહિશોનો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટના પાછળ સમ્રાટ એપાર્ટમેન્ટના માલિક અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી જવાબદાર છે.

ખાડીનું પુરાણ કરીને એપાર્ટમેન્ટનું બાંધકામ કર્યુ હતું

કારણકે એપાર્ટમેન્ટના માલિકે ખાડીનું પુરાણ કરીને તે પુરાણ પર એપાર્ટમેન્ટનું બાંધકામ કર્યુ હતું અને જેની જાણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને હોવા છતાં કોઈ પગલું ભરવામાં આવ્યું નહોતું. હવે મનપા દ્વારા આ જોખમી કોમ્પલેક્ષને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે અન્ય જોખમી ઈમારતો તેમજ મકાનોની પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચકાસણી કરવામાં આવે.


  • Follow us on: