આવતીકાલે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે સુરતમાં 80,000થી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થવાનો અંદાજ છે. જેને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. શહેરમાં પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન થાય તે માટે કુલ 22 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. આ કૃત્રિમ તળાવોમાં 1 થી 5 ફૂટ સુધીની નાની મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે.
સુરતમાં 80,000થી વધુ મૂર્તિઓનું કરાશે વિસર્જન
આ માટે SMC દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અડજણ, પાલ અને વાઇઝેશન પાસેના કૃત્રિમ તળાવોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વિસર્જન માટે આવતા લોકોને સુવિધા મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે તાજેતરમાં તાપી નદીમાં પાણીનું સ્તર વધતા નાનપુરાના ડાક્કા ઓવરા પર બનાવવામાં આવેલું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આથી તેને બંધ કરવાની ફરજ પડી છે. આ તળાવ પર વિસર્જન કરવા આવનારાઓને હવે ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે.













