સુરતમાં દિવાળી તહેવારને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. શહેરના વિવિધ ઝોન વિસ્તારના મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ મીઠાઈના નમુનાઓ લેવામાં આવ્યા. દરમિયાન શહેરના ઘોડરોડના શિવ શક્તિ દુકાનની મીઠાઈમાંથી વંદો નીકળ્યો. તપાસ દરમિયાન જ એક મીઠાઈના કેરેટ માંથી વંદો જતો દેખાયો. જેને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ મીઠાઈના આખા કેરેટનો નાશ કર્યો.
SMC ફૂડ વિભાગ એકશનમાં
શહેરમાં દિવાળીને લઈએ SMC ફૂડ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી. તહેવારનો લાભ લઈ દુકાનદારો નકલી તેલનો ઉપયોગ કરે છે જયારે મીઠાઈ બનાવવા ઉપયોગમાં લેવાતો માવો અખાદ્ય હોવા છતાં વપરાશ કરવામાં આવે છે. તેમજ વેપારીઓ દ્વારા સ્વચ્છતાને લઈને યોગ્ય તકેદારી પણ રાખવામાં આવતી નથી તેને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરી વેપારીઓને નિયમ મુજબ દંડ ફટાકરવામાં આવે છે. દરમિયાન આરોગ્યની તપાસ દરમિયાન ગંદકી જોવા મળે તેવા એકમો સામે કડક કાર્યવાહી કરાશે.













