સુરત પોલીસે રાજકોટના કુખ્યાત આરોપી હાર્દિકસિંહ જાડેજાને જાહેરમાં ફેરવી તેનો વરઘોડો કાઢ્યો છે. હાર્દિકસિંહ અને તેના સાથીદારોએ સુરતના રાંદેર વિસ્તારમાં એક કાપડના વેપારી પાસેથી રૂપિયા 29 લાખની લૂંટ ચાલવી હતી. આ લૂંટ દરમિયાન તેણે વેપારીના ગળે ચપ્પુ મૂકીને ધમકી આપી હતી અને લૂંટનો મુદ્દામાલ એટલે કે USDT (ક્રિપ્ટોકરન્સી) દુબઈમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઘટના બાદ સુરત પોલીસે તેને ઝડપી પડ્યો હતો અને કાયદાનો ડર બતાવવા માટે જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટના બાદ પોલીસની સરાહનીય કામગીરીની ચર્ચા થઇ રહી છે.


હાર્દિકસિંહ જાડેજાનો ગુનાહિત ઈતિહાસ

હાર્દિકસિંહ જાડેજાનો ગુનાહિત ઈતિહાસ ખૂબ લાંબો છે. તે અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં રાજકોટ નજીક આવેલા રીબડા ગામમાં ફાયરિંગ કરાવવાનો ગુનો પણ સામેલ છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે, હાર્દિકસિંહ રાંદેર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. સુરત પોલીસે કાયદાનો ડર બતાવવા અને અવ ગુનાઓ કરતા તત્વોને ચેતવણી આપવા માટે જાહેરમાં તેનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું હતું. આ પગલાથી પોલીસ એવો સંદેશો આપવા માંગે છે કે ભલે આરોપી ગમે તેટલો મોટો હોય કાયદાથી ઉપર નથી.

સુરત પોલીસની કડક કાર્યવાહી

આ ઘટનાથી સુરત સહિત રાજ્યભરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. સુરત પોલીસની આ કડક કાર્યવાહીની પ્રશંસા થઇ રહી છે. પોલીસનું કહેવું છે કે, આવા ગુનેગારોને સમાજમાં ખુલ્લા પાડવા અને તેમનો ડર દૂર કરવા માટે આ પ્રકારના પગલાં લેવા જરૂરી છે. હાર્દિકસિંહની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી માહિતી મેળવી રહી છે જેથી આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પણ ઝડપી શકાય. સુરત પોલીસની આ કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.


  • Follow us on: