સુરતમાં જન્મ દિવસે જ ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીનો જન્મ દિવસ હોવાથી તેના પિતા કેક લઈને ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પુત્રને જોઈને પરિવાર ભાંગી પડ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીએ આપઘાત કયા કારણે કર્યો તેની વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી.


વિદ્યાર્થીએ તેના જન્મ દિવસે જ આપઘાત કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ભેસ્તાનના લક્ષ્મીનગરમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના જન્મ દિવસે જ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થીનો જન્મ દિવસ હોવાથી તેના પિતા તેની માટે કેક લઈને ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પુત્રએ આપઘાત કરી લેતા તેના પિતા અને પરિવાર ભાંગી પડ્યો હતો. તેને આપઘાત કયા કારણે કર્યો તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રને ગળાફાંસો ખાઈને લટકતી હાલતમાં જોતા પિતા ચોંકી ગયા

પુત્રને ગળાફાંસો ખાઈને લટકતી હાલતમાં જોતા તેના પિતા ચોંકી ગયા હતાં. તેમણે બુમાબુમ કરતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતાં. સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ડીંડોલી પોલીસ કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારબાદ આપઘાત કયા કારણે કર્યો તેની તપાસ હાથ ધરી હતી. આપઘાતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી પરંતુ પોલીસની સઘન તપાસમાં બહાર આવી શકે છે.

  • Follow us on: